માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રજૂ કર્યું ઉત્તમ ઉદાહરણ!
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પછી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી મુદ્રા પરનું ભારણ ઘટાડવાના રાષ્ટ્રહિતના સંકલ્પમાં સહભાગી થતા માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી; પંચમહાલના હાલોલ ખાતે 'પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી'ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વડોદરાથી પાવાગઢ રૂટની ST બસમાં સામાન્ય મુસાફરો સાથે કરી મુસાફરી...
માન. રાજ્યપાલશ્રીએ સંકલ્પ લેતા કહ્યું કે, "જ્યાં સુધી ઇંધણનું સંકટ સમાપ્ત ન થાય, ત્યાં સુધી હું ગુજરાતમાં કોઈ પણ હવાઈ યાત્રા નહીં કરું અને મુસાફરી માટે માત્ર બસ અને ટ્રેનનો જ ઉપયોગ કરીશ." આ સાથે જ તેમણે નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી...


Post a Comment